બાગેવફાबागेवफाBageWafa باغِ وَفا

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે. નથી જેની દયાનો પાર ,જેઅનહદ દયાળુ છે.

Sunday, December 24, 2006

તઝમીને_હબીબ

ઊઠો આ રાતને પણ પ્રાતને પાઁસે લઈ જઈએ.
પ્રતીક્ષા ક્યાઁ સુધી કરવી કે સુર્યોદય થવાનોછે.


____મસ્તહબીબ સારોદી

ચલો આ આઁગળીને સાજ ની પાઁસે લઈ જઈએ.
ઉઠાવીને સુરાલય પ્યાસની પાઁસે લઈ જઈએ.
નિરાશાની ઘટાઓ આશની પાઁસે લઈ જઈએ.

ઊઠો આ રાતને પણ પ્રાતનની પાઁસે લઈ જઈએ.
પ્રતીક્ષા ક્યાઁ સુધી કરવી કે સુર્યોદય થવાનો


__________મોહમ્મદઅલી .વફા,

સ્વપ્નુઁ કે તર્ક છે જગત કોણ માનશે?
મોજુદ છે હરેક હકીકત ચિતાર થઈ


____ મસ્તહબીબ સારોદી

ફૂલો થઇ ગયાઁછે સખત કોણ માનશે?
દિલમાઁ યે હતુઁ તારુઁ કપટ કોણ માનશે?
તારો યે હતો એક વખત કોણ માનશે?


સ્વપ્નુઁ કે તર્ક છે જગત કોણ માનશે?
મોજુદ છે હરેક હકીકત ચિતાર થઈ

__________મોહમ્મદઅલી .વફા,

પ્રેમની જ્યા,રે ખુમારી, હદ વટાવી, જાય છે.
તંગ કરનાઓ પોતે તંગ આવી જાયછે


____ મસ્તહબીબ સારોદી

ઈશ્કની આખર બીમારી રંગ જમાવી જાયછે.
દીપક ઉપર જો પતંગા જાઁ ગુમાવી જાયછે
સુરજ સવારે રાતની ઝૂલ્ફો હટાવી જાયછે.


પ્રેમની જ્યા,રે ખુમારી, હદ વટાવી, જાય છે.
તંગ કરનાઓ પોતે તંગ આવી જાયછે

__________મોહમ્મદઅલી .વફા,

‘મસ્ત હબીબ,સારોદી
નામ:હસન મુસા પટેલ
જન્મ તારીખ: 25મે1912
વતન:સારોદ જિ:ભરુચ
ઈંતેકાલની તારીખ:11મે1972 સમય ગુરૂવાર બપોરે11.45 કલાકે સુરત મુકામે.
પ્રકાશનો:
(1)મસ્તી(1965)
(2)તુલસી ઈસ સંસારમે(મુલ્લાઁ રમુજીના તખલ્લુસથી લખેલ વ્યંગ-કવનો)
(3)મોજ-મસ્તી(સઁપાદન: ‘મસ્ત’ મઁગેરા તંત્રી:વહોરા સમાચાર માસિક-સુરત નિવૃત આચાર્ય ,આલીપુર હાઈસ્કૂલ જિ.નવસારીઅને ‘જય’નાયક,નવસારી)
એક પ્રખર શાયર,વિવેચક,વ્યંગકાર,પીઁગળ શાસ્ત્રના વિદ્વાન અભ્યાસી,મૂળભુત ઉર્દુ શાયેર.મહાગુજરાત ગઝલ મઁડળના રૂહે રવાઁ.શ્રી નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી),સીરતી,રતિલાલ’અનિલ’અને જ.આઈ.ડી.બેકાર રાઁદેરી(તંત્રી,ઈંસાન),બેબાક રાઁદેરી ના સફરના સાથી.ગુજરાતી શાયરીમાઁ એમણે ઘણા શિષ્યો આપ્યા છે. રાઝ નવસારવી,અદમ ટંકારવી,મસ્ત મઁગેરા વિ.મેઁ નાચીઝે પણ એમની પાઁસેથી દીક્ષા લીધી છે.1965 થી 1972 એમના નિધન સુધી મારી મોટા ભાગની રચનાઓની ઈસ્લાહ એમની પાઁસે લીધી છે.સ્વભાવે મ્રુદુ હતા,પણ ખુદ્દારી એમનો સ્વભાવ હતો. આખી જીઁદગી સુરત મા એક શિક્ષકઅને આચાર્ય તરીકે ગુજારી.શ્રી ગની દહીઁ વાલા ને શ્રી ઊમાશઁકર જોષી એ ગુજરાત નુઁ ‘ગઝલ બુલબુલ’ કહ્યુઁ ત્યારે સાહિત્યિક વળતુળમાઁ થોડો ઉહાપો થયો.’ગઝલનો કાગડો,કહી કેટલાકે વ્યઁગ કર્યો.અને શ્રી રતિલાલ’અનિલ’અને ‘મસ્ત હબીબે ‘ઉમાશઁકર જોશીની ખાસ્સી ખબર લીધી.ગનીભાઈઅને ઉમાશઁકર ભાઈ પર ગઝલને (નઝમિયાત) પરત્વે ‘અનિલ’ શેખચલ્લી,અની મસ્તહબીબ સારોદી સા.નો એક ધાક રહ્યો.
એમના તમામ લેખો,વિવેચનો,અને બીજાઁ કાવ્યો મળી આવે અને કોઈ જમા કરે તો બીજા બે ,ત્રણ સારા ગ્રઁથો પ્રકાશમાઁ આવી શકે.
સમય મળતાઁ એમના જીવન પર એક લેખ માળા ,બઝમે વફા,માઁ આપવા ઈરાદો ધરાવુઁ છુઁ.
એમના થોડા શેર સાથે વિરમુઁ છુઁ.
(1)મસ્ત એ પોતે વિચારોની ખુમારીમાઁ હતો,
એટલે મયખાનુઁ એ ત્યાગી ગયો પીધા વગર.
(2)મને અલ્લહને સોઁપી જનારા આટલુઁ સાઁભળ,
હુઁ એક ઈંન્સાન છુઁ,ઈંન્સાનની મારે જરુરત છે.
(3)કરતુઁ નથી અધર્મનો કોઈ મુકાબલો,
જાણે હજીયે કોઈ પયગમ્બર છે આવનાર
આદરિણય રતિલાલ’અનિલ’ના શબ્દોમાઁ ‘મસ્ત હબીબ ની ઉર્દુ શાયરી તો એમની ડાયરી સાથે ગઈ, પણ અહીઁ એમનો એક શે’ર સાઁભરેછે.
(3)હકીકત મેઁ હો તુમ દુનિયાસે અચ્છે,
હકીકતમેઁ મગર દુનિયાહી કયા હૈ?


* મોહમ્મદઅલી,વફા,(25ડીસે.2006)



1 Comments:

  • At 5:12 PM, Anonymous Anonymous said…

    બહુ જ સરસ તઝમીનો...
    હબીબ સરોદીના જીવન વિશે જાણવા મળે?

     

Post a Comment

<< Home

 
Web Site Counter
Counters