કવિતાનો જન્મ_સુન્દરમ
મુશાયરો એ કવિતાનુઁ બજાર છે.ત્યાઁ બહારથી ઊગેલો અને તૈયાર થઈ આવેલો માલ રજૂ કરાય છે.તેની ત્યાઁ યોગ્ય કદર થાય છે.પ્રશંસા થાય છે,કસોટી થાય છે.પણ ત્યાઁ તે માલ તો ઉગી શકતો નથીજ.કવિતાનો જન્મ કઈ રીતે થાયછે એ સમજાવવુઁ જરા મુશ્કેલ છે.પણ કઈ રીતે નથી થતો એ સ્પષ્ટ વાત છે.ઉચ્ચ કવિતા કદી બહારની માંગણીથી જન્મતી નથી,અરે! ખુદ કવિની પોતાની ઈચ્છાથી પણ તે જન્મતી નથી.જેણે કવિતાની પ્રેરણા ઝીલી હશે તેના માટે આ વાત સમજવી સહેલી છે.એતો એનુઁ અંત:કરણ અથવા તેની ગૂઢ સર્જન શકિત જયારે સળવળે છે,જાગેછે,ક્ષોભ પામે કે ,પ્રફુલ્લિત બને છે,ત્યારે છલકાઈ પડે છે. સાચી કવિતા આવી રીતે લખાય છે .એ સિવયના લખાણો કેવળ પદ્ય હોય છે. પછી ભલેને મહાકવિએ કેમ ન લખ્યાઁ હોય.?અને જેટ્લુઁ પદ્યમાઁ _છઁદમાઁ લખાયુઁ એ કવિતા છે, એવી દલપતશાહી કાવ્ય ભાવના આજે તો હવે કોઈ ધરાવતુઁ નથી.
_સુન્દરમ
વધુ માટે જૂઓ
http://bazmewafa.blogspot.com/
*
_સુન્દરમ
વધુ માટે જૂઓ
http://bazmewafa.blogspot.com/
*
0 Comments:
Post a Comment
<< Home