લોકો_મોહમ્મદઅલી’વફા ગઝલ
ગઝલ
પાષાણ કૂ,ખે ભરાયા છે લોકો.
નિજના અહમમાઁ હણાયા છે લોકો.
શોધી રહ્યો છુઁ મળે આત્મ જન કો,
મુલ્કો પરાયા , પરાયા છે લોકો
ચાખે કદી ના ધરો જો કો અમ્રુત,
પીને હલાહલ ધરાયા છે લોકો .
ન અશ્રુ નયન માઁ ન હૈયે મ્રુદુતા ,
ફ્કત હાડ માઁસે ચણાયા છે લોકો.
હૈયા તણા મીઠાઁ ઝરણોને છોડી,
વફા ઝાંઝવા માઁ તણાયા છે લોકો.
_મોહમ્મદઅલી’વફા’(25નવે.2004)
પાષાણ કૂ,ખે ભરાયા છે લોકો.
નિજના અહમમાઁ હણાયા છે લોકો.
શોધી રહ્યો છુઁ મળે આત્મ જન કો,
મુલ્કો પરાયા , પરાયા છે લોકો
ચાખે કદી ના ધરો જો કો અમ્રુત,
પીને હલાહલ ધરાયા છે લોકો .
ન અશ્રુ નયન માઁ ન હૈયે મ્રુદુતા ,
ફ્કત હાડ માઁસે ચણાયા છે લોકો.
હૈયા તણા મીઠાઁ ઝરણોને છોડી,
વફા ઝાંઝવા માઁ તણાયા છે લોકો.
_મોહમ્મદઅલી’વફા’(25નવે.2004)
0 Comments:
Post a Comment
<< Home